PM Kisan Samman Nidhi Yojana 2024: પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે આવેદન કરો આ રીતે, જાણો Documents, Eligibility

શું તમે પણ ગુજરાતના એક એવા કિસાન છો જેમણે હજી સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 નું લાભ લીધો નથી, શું તમે પણ હજી ₹6,000 નો લાભ લીધો નથી તો આ આર્ટીકલ તમારા માટે છે.

આ આર્ટીકલમાં અમે તમને PM Kisan Samman Nidhi Yojana 2024 માટે તમે કઈ રીતે આવેદન કરી શકો છો, શું લાયકાત જોવે છે, કયા કયા દસ્તાવેજ જુએ છે જેની સંપૂર્ણ માહિતી આપીશું એટલે આ લેખ તમે છેલ્લે સુધી વાંચજો.

PM Kisan Samman Nidhi Yojana Online 2024 વિગત 

કોણ આવેદન કરી શકે? બધા ભારતીય ખેડૂત 
આવેદન કરવાની પ્રક્રિયા  Online
કેટલા રૂપિયાનો લાભ મળે  ₹ 6,000 Rs Per Annum
પૈસા કઈ રીતે મળે  Aadhaar દ્વારા 
PM Kisan 17th Installment ક્યારે આવશે? July, 2024 (અંદાજિત )
Official Website https://pmkisan.gov.in/

 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 ના લાભ 

પીએમ કિસાન સન્માન નિધિ યોજના ના લાભ નીચે મુજબ મળશે.

  • ભારતના બધા જ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ નો લાભ આપવામાં આવશે
  • કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 હપ્તા આપવામાં આવ્યા છે
  • કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા નો લાભ આપવામાં આવે છે
  • ખેડૂતોને બધા પાક વિશે જાણકારી પૂરી પાડવામાં આવે છે અને દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2,000 નાખવામાં આવે છે
  • પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16 મો હપ્તો માર્ચ 2024 માં આપવામાં આવ્યો છે

કિસાન સન્માન નિધિ યોજના 2000 માટે કોણ આવેદન કરી શકે?

નીચે મુજબની પાત્ર ધરાવતા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 હેઠળ લાભ લઇ શકશે

  • આવેદન કરનાર ખેડૂત જોડે જમીન હોવી જોઈએ
  • ખેડૂત ભારતીય હોવો જોઈએ
  • ખેડૂત જોડે બેંક ખાતુ હોવું જોઈએ અને મોબાઈલ નંબર સાથે આધાર લિંક હોવો જોઈએ, બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) ચાલુ હોવું જોઈએ.

કિસાન સન્માન નિધિ યોજના માટે કોણ આવેદન કરી ના શકે?

  • ખેડૂતના પરિવારે માં કોઈ સભ્યએ પહેલા કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લીધેલ છે તો તેમને લાભ નહીં મળે
  • ખેડૂત જોડે પોતાની જમીન નથી તો પણ લાભ નહીં મળે
  • 01 ફેબ્રુઆરી 2019 પછી ખેડૂતને 18 વર્ષ થયા છે તો આ યોજના માટે લાભ નહીં મળે
  • ખેડૂત સંસ્થાની જમીન માટે માલિક છે તો પણ આ યોજનાનો લાભ નહીં મળે
  • ખેડૂતના પરિવારમાં કોઈ સભ્યો NRI છે તો આ યોજનાનો લાભ નહીં લઈ શકે
  • ખેડૂતના પરિવારમાં કોઈ સદસ્ય વર્તમાન મંત્રી છે અથવા પહેલા કોઈ મંત્રી હતા તો પણ આ યોજનાનો લાભ નહીં મળે

PM Kisan Samman Nidhi Yojana Online 2024 માટે દસ્તાવેજ

  • Aadhaar card
  • PAN card,
  • Bank Account Passbook,
  • Active mobile number,
  • Self- attested photocopy of all documents of cultivable land ,
  • Fresh rent receipt of cultivable land,
  • LPC Certificate of cultivable land ,
  • Address proof ,
  • caste certificate ,
  • Income Certificate,
  • Self- declaration certificate,
  • Passport size photograph etc.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 માટે ઓનલાઇન આવેદન કરવાની પ્રક્રિયા 

PM કિસાન સમ્માન નિધિ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? અમારા તમામ ખેડૂત ભાઈઓ અને બહેનો પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માંગે છે તેઓએ નીચે મુજબના પગલાઓનું પાલન કરવું પડશે –

  • PM કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો.
  • “New Farmer Registration” પર ક્લિક કરો.
  • આવશ્યક માહિતી દાખલ કરો અને “OTP મેળવો” પર ક્લિક કરો.
  • OTP દાખલ કરો અને “આગળ વધો” પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
  • જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો.
  • “સબમિટ” પર ક્લિક કરો.
  • રસીદ પ્રિન્ટ કરો અને સુરક્ષિત રાખો.

તમારે પાસે આધાર કાર્ડ, બેંક ખાતું પાસબુક અને જમીનના માલિકીના પુરાવા જેવા દસ્તાવેજો હોવા જોઈએ. તમે PM કિસાન સેવા કેન્દ્ર અથ઼વા CSC દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકો છો.
વધુ માહિતી માટે, તમે PM કિસાન હેલ્પલાઈન નંબર 011-24300606 અને 155261 છે, તેની પર સંપર્ક કરી શકો છો.

સારાંશ 

આ લેખમાં અમે તમામ ખેડૂત ભાઈ અને બહેનોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 વિશે વિગતવાર માહિતી આપી છે. તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2024 માટે અરજી કઈ રીતે કરી શકો તેની સમગ્ર વિગતવાર માહિતી આપી છે અને કોણ કોણ આ યોજનાનો લાભ લઇ શકે તેની પણ વિગતવાર માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે આ લેખ તમને પસંદ આવ્યો હશે અને આ લેખને બીજા ખેડૂત ભાઈઓ સુધી શેર કરો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો

મહત્વની લિંક 

Official Website Click Here
Direct Link of Online Registration Click Here
Direct Link To Registration Status Click Here

 

FAQs 

 

પીએમ કિસાન યોજના ક્યારે શરૂ થઈ?

પીએમ કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી.

પી એમ કિસાન નો 17 મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 17 મોં હપ્તો જૂન 2024 માં આવશે.

પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો ક્યારે આવશે?

પીએમ કિસાન યોજનાનો 16 મો હપ્તો માર્ચ 2024 માં આવી ગયો છે. જૂન મહિના માં 17 મો હપ્તો 2000 રૂપિયા નો આવશે.

Leave a comment